Gyansetu Scholarship Yojana 2024 | મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના

Written by TARSENG THAKOR

Published on:

WhatsApp Group Join Now
Telegram Channel Join Now
Instagram Group Join Now

Gyansetu Scholarship Yojana 2024 |મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના:- ગુજરાત સરકાર દ્વારા શિક્ષણક્ષેત્રે આમૂલ ફેરફારો કરીને, પ્રાથમિક તથા માધ્યમિક કક્ષાએ ભણતા વિદ્યાર્થીઓને મફત શિક્ષણ સાથે સ્કોલરશીપ મળે તેવી ઘણી યોજનાઓ અમલમાં છે. સરકાર દ્વારા જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ, તથા મોડેલ સ્કુલો પણ શરૂ કરવામાં આવી છે. જેમાં વિનામુલ્યે શિક્ષણ તથા મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ આર્થિક સહાય પણ કરવામાં આવે છે. જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ કુલ-30,000 જેટલા વિદ્યાર્થીને પસંદ કરીને ધોરણ-6 થી ધોરણ-12 માટે દર વર્ષે ₹ 25,000/- સુધીની સ્કોલરશીપ આપવામાં આવે છે.

યોજનાનું નામમુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના
યોજના હેઠળ મળતા લાભધોરણ-6 થી 12 વિદ્યાર્થીઓને વાર્ષિક ₹ 25,000/- સુધીની સ્કોલરશીપ
ઓનલાઈન અરજી શરૂ થવાની તા.(… તા.29/01/2024 થી
ઓનલાઈન અરજીની છેલ્લી તા. : 09/02/2024 સુધી…)
પરીક્ષા તારીખતા.30/03/2024

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના વિશે જાણો

રાજ્યની સરકારી કે અનુદાનીત કે સ્વ નિર્ભર શાળાઓમાં ધોરણ-1 થી 5 સુધી અભ્યાસ કરી, હાલ ધોરણ-5 નો અભ્યાસ કરતા  હોય તેવા વિદ્યાર્થીઓને આગળ ધોરણ-6 થી 12 સુધીના અભ્યાસ માટે Mukhyamantri Gyansetu Merit Scholarship દ્વારા સ્કોલરશીપ આપવામાં આવે છે. જેમાં વિદ્યાર્થી ધોરણ-6 થી ધોરણ-12 સુધીનું શિક્ષણ મેળવી શકે તે  માટે સરકારી કે સ્વ નિર્ભર શાળામાં પ્રવેશ માટે પણ નિયમોનુસાર છુટછાટ આપવામાં આવે છે.

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાનો હેતું

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં મુકવમાં આવેલ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાના હેતું નીચે મુજબ છે.

  • આર્થિક રીતે નબળા તેજસ્વી વિદ્યાર્થીઓને આગળ અભ્યાસમાં આર્થિક રીતે મદદરૂપ થવું.
  • ધોરણ-5 બાદ દર વર્ષે કુલ- 30,000 તેજસ્વી વિદ્યાર્થીઓને દર વર્ષે આ યોજના હેઠળ લાભ આપવો.
  • 50% કન્યા વિદ્યાર્થીનીઓની પસંદગી કરીને કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવું.

જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજનાનો લાભ કોને મળશેMukhyamantri Gyansetu Merit Scholarship

 જે વિદ્યાર્થીઓ સરકારી,અનુદાનિત તથા સ્વનિર્ભર શાળામાં ધોરણ-5 સુધી અભ્યાસ કરીને, ધોરણ-6 થી 12 સુધી સરકારી શાળાઓ કે સ્વ નિર્ભર શાળાઓ અભ્યાસ કરી શકે તે માટે જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અમલમાં મુકાયેલ છે. જે માટે વિદ્યાર્થીની પાત્રતા નિચે મુજબની છે.

  • વિદ્યાર્થી સરકારી કે અનુદાનીત કે સ્વ નિર્ભર શાળામાં ધોરણ-1 થી 5 સુધી અભ્યાસ કરેલ હોવો જોઈએ.
  • ધોરણ-5 અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ યોજના હેઠળ આગળના ધોરણ માટે લાભ મેળવી શકશે.
  • વિદ્યાર્થીઓની પસંદગી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ દ્વારા કરવામાં આવશે, જેમાં દર વર્ષે કુલ 30000 વિદ્યાર્થીઓની પસંદગી થશે.
  • CAT (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) પાસ કર્યા બાદ જરૂરી ખરાઈ કરીને વિદ્યાર્થીના વાલી કે વિદ્યાર્થીના ખાતામાં સ્કોલરશીપ જમા કરવામાં આવશે.
  • સહાય માટે લાયક ઠરેલ વિદ્યાર્થીની દરેક સત્રમાં 80% હાજરી ફરજીયાત હોવી જોઈએ.

મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ મળતી સહાય.

જે વિધાર્થીઓ રાજ્ય સરકાર દ્વારા નિયત ધારાધોરણ મુજબ પસંદ કરેલ સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 6 માં પ્રવેશ મેળવશે તેવા વિધાર્થીઓને સ્કોલરશીપનો લાભ ધોરણ 6 થી ધોરણ 12 પૂર્ણ કરે ત્યાં સુધી નીચે મુજબ સ્કોલરશીપ મળવા પાત્ર રહેશે.

ક્રમઅભ્યાસનું ધોરણમળવાપત્ર વાર્ષિક સ્કોલરશીપ.
1ધોરણ-6 ₹ 20,000/-
2ધોરણ-7₹ 20,000/-
3ધોરણ-8₹ 20,000/-
4ધોરણ-9₹ 22,000/-
5ધોરણ-10₹ 22,000/-
6ધોરણ-11₹ 25,000/-
7ધોરણ-12₹ 25,000/-

જે વિધાર્થીઓ સરકારી અથવા કોઈપણ અનુદાનિત શાળાઓમાં ધોરણ 6 માં પ્રવેશ મેળવીને ધોરણ 6 થી 12 નો અભ્યાસ આ શાળાઓમાં મફત અભ્યાસ ઉપરાંત  નીચે મુજબની વધારાની સ્કોલરશીપ આપવામાં આવશે.

  • ધોરણ 6 થી 8 નો અભ્યાસ કરવા માટે દર વર્ષે ₹ 5,000/-
  • ધોરણ 9 થી 10 નો અભ્યાસ કરવા માટે દર વર્ષે ₹ 6,000/-
  • ધોરણ 11 થી 12 નો અભ્યાસ કરવા માટે દર વર્ષે ₹ 7,000/-

આ પણ વાંચો:-

વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયા.

  • હાલ ધોરણ-5 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના હેઠળ સ્કોલરશીપનો લાભ લેવા માટે CAT (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) ની પરીક્ષા પાસ કરવાની રહેશે.
  • પરીક્ષા પાસ કર્યા બાદ જરૂરી ખરાઈ કરીને કુલ-30,000/- જેટલા વિદ્યાર્થીઓને ધોરણ-6થી ધોરણ-12 સુધી Mukhyamantri Gyansetu Merit Scholarship યોજનાનો લાભ આપવામાં આવશે.
  • આ ટેસ્ટમાં ઉત્તિર્ણ થયેલ વિદ્યાર્થી જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કુલ્સ, જ્ઞાનશક્તિ ટ્રાઈબલ રેસીડેન્સિયલ સ્કુલ્સ, રક્ષાશક્તિ સ્કુલ્સ, તથા મોડેલ સ્કુલોમાં ધોરણ-6 માં પ્રવેશ મેળવી શકશે.
  • આખરી યાદી તૈયાર કરતી વખતે સરકારશ્રીના નિયમોમુજબ અનુસૂચિત જનજાતિ તથા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવશે.
  • Mukhyamantri Gyansetu Merit Scholarship Yojana માં દરેક કેટેગરીમાં 50% વિદ્યાર્થીનીઓનો સમાવેશ કરવામાં આવશે.

CAT (કોમન એન્ટ્રન્સ ટેસ્ટ) 2024 કસોટીનું મળખું.

Mukhyamantri Gyansetu Merit Scholarship માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CAT)  બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question- MCQ Based)  રહેશે.

  • કોમન એન્ટ્રન્સ ટેસ્ટ નું પ્રશ્નપત્ર 120 માર્કસનું તથા સમય 150 મિનિટનો રહેશે.
  • કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષામાં રહેશે.
  • કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ-5 ના અભ્યાસક્રમ પર રહેશે.
  • જેમાં, ગુજરાતી, ગણિત, અંગ્રેજી, હિન્દી અને પર્યાવરણ વિષય તથા તાર્કિક તર્ક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નોનો સમાવેશ થશે.

કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CAT) માં નીચે મુજબના વિષય પ્રમાણે માર્કસ રહેશે.

ક્રમવિષયપ્રશ્નોગુણ
1ગણિત સજ્જતા3030
2તાર્કિક ક્ષમતા કસોટી3030
3ગુજરાતી2020
4અંગ્રેજી-હિન્દી2020
5પર્યાવરણ2020
કુલ120120

Mukhyamantri Gyansetu Merit Scholarship Yojana Online Apply | જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટે અરજી

Mukhyamantri Gyansetu Merit Scholarship માટે વિદ્યાર્થીએ ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની હોય છે. અહીં દર્શાવેલ માહિતીથી જાતે જ ઓનલાઈન અરજી કરી શકાશે.

સ્વનિર્ભર (ખાનગી)શાળાઓના વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓએ નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે

  • સૌ પ્રથમ ગુગલ પર sebexam.org ટાઈપ કરીને ઓફિસીયલ વેબસાઈટ પર જવું.
  • ત્યાર બાદ  નીચે ઈમેજમાં દર્શાવ્યા મુજબ ” ફોર્મ ભરવા માટે અહિંં ક્લિક કરો “ બટન પર ક્લિક કરવું.
Mukhyamantri Gyansetu Merit Scholarship Form
Image Credit Government Official Website ( www.sebexam.org )
  • હવે Apply Now પર Click કરવાનું રહેશે. જેથી ઓનલાઈન અરજી ફોર્મેટમાં પ્રથમ Aadhaar Dayas UID (C.T.S. Child I.D.) નાખ્યા બાદ Submit આપવાનું રહેશે. જેથી વિગતો AUTO FILL જોવા મળશે. જે તપાસી બાકીની વિગતો વિદ્યાર્થીએ ચકાસીને ભરવાની રહેશે.
Mukhyamantri Gyansetu Merit Scholarship login
Image Credit Government Official Website ( www.sebexam.org )
  • આગળના સ્ટેપમાં વિગતો ચકાસી નીચે આપેલ બાંહેધરી પર ટીક કર્યા બાદ સબમીટ અને કન્ફર્મ પર ક્લિક કરવાનું રહેશે.
  • ત્યાર બાદ Application Save કરી એપ્લીકેશની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.

નોંધ- સરકારી તથા અનુદાનિત શાળાના વિદ્યાર્થીઓ માટે શાળામાંથી ઓનલાઈન અરજીની પ્રક્રિયા કરવાની રહેશે.

જ્ઞાનસેતુ સ્કોલરશીપ યોજનાના નિયમો અને શરતો.

  • આ યોજનાના લાભ માટે ફક્ત પ્રવેશ પરીક્ષા માટે તા.29/01/2024 થી તા.09/02/2024 દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે. ઓનલાઇન અરજી જ માન્ય રહેશે.
  • ટેસ્ટના મેરીટ મુજબ જ બાળકોને શાળામાં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપનો લાભ આપવામાં આવશે.
  • ઓનલાઈન ફોર્મ અંગ્રેજીમાં ભરવાનું રહેશે.
  • અરજી ફોર્મ ચોકસાઈપૂર્વક online માધ્યમથી ભરવાનું રહેશે. નામ, અટક, જાતિ (કેટેગરી ) જન્મ તારીખ, કે અન્ય કોઈ બાબતે પાછળથી બોર્ડ દ્વારા સુધારો કરી શકાશે નહી.
  • વિદ્યાર્થીને બસ પાસની સુવિધા આપવામાં આવશે.
  • Mukhyamantri Gyansetu Merit Scholarship Yojana માટે સત્રમાં 80% હાજરી ફરજિયાત રહેશે.
  • ધોરણ-6 થી 12 ના અભ્યાસ દરમ્યાન કોઈ ધોરણમાં નાપાસ થાય કે શાળા છોડી દે છે તો વિદ્યાર્થીને આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહી.

Important Links of Mukhyamantri Gyansetu Merit Scholarship

ઓફિસિયલ વેબસાઈટClick Here
ઓનલાઈન અરજી કરવાClick Here

1 thought on “Gyansetu Scholarship Yojana 2024 | મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના”

Leave a Comment